સાંપ્રત સમાજ ની પથ દર્શક ગીતા.


 સાંપ્રત સમાજ ની પથ દર્શક ગીતા.
(1)
સમય સમય ની વાત છે!
સ્વાધ્યાય કેરો સાદ છે!
પથદર્શક ગીતા ને લઈને!
સાંપ્રત સમય ની વાત છે....
(2)
તમે અમારી આંગળી ઝાલી અર્પી છે મંઝિલ 
ગીતા ને પથ દર્શક બનાવી, સામ્રાજ્ય સર્જી,
મૂક દર્શક સમાજ નહીં પણ, પથ દર્શક અર્પી,
સાંપ્રત સમાજ ને છે જોડયો, દીધી છે કીર્તિ!  
(3)
રૂંવાડે રૂંવાડે રામ  તણી ગર્જના ને,
પથ દર્શક ગીતા તણા માર્ગે.....
ઈસ તણા વિશ્વાસે અચળ આ યુવાની જે,
નમસ્કાર ગીતા તણા પામે,
સાંપ્રત સમાજ ને પથ બતાવું,
શબ્દ શૃંખલાઓ ચરણે ધરું.
(4)
સમ્રાટો શોધી રહ્યા, શાણા ઓ સમજી રહ્યા,
ગીતા તારા પથ ને, સાંપ્રત સમાજ શ્રવી રહ્યા ... 

સમય સારો, સંસ્કૃતિ સારી, સારી સમગ્ર સૃષ્ટિ,
સાંપ્રત સમાજ ને પથ પ્રસરાવી, ગીતા કેરી દ્રષ્ટિ.

સમય કહે, પુકાર કરે, કજિયો કરે સૃષ્ટિ 
સાંપ્રત સમાજ ને પથ પુરે, ગીતા કેરી દ્રષ્ટિ.

પ્રશ્ન મારો પ્રેમ થી,
પથ પ્રદર્શિત કરવા ગીતા જ કેમ? 
ચાલો ડોકિયું કરીયે સાંપ્રત સમાજ માં.

સમાજે સોય થી લઇ સોફિયા સુધી સોલીડ પ્રગતી કરી છે.
અરે માનવ રૂપી સોફિયા એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ ની ટોચ છે. 
મસ્ક અને બેઝોસે અંતરિક્ષ ની સફર કરાવાની શરૂઆત કરી દીધી છે,
નેનો ટેક્નોલોજી અને બાયો વિજ્ઞાન થી જીંદગી જોરદાર બની ગઈ છે.

તેજાબી ટેક્નોલોજી સાથે કદમ તાલ મિલાવવા આજનો સમાજ કટિબદ્ધ થયો છે.
છૂટકો નથી એને હાથ માં મોબાઈલ લીધા વગર. 
ઉપાય માટે શું કર્યું?...
સર્વ શ્રેષ્ઠ સ્કૂલ કોલેજ માં ભણી ગણી ને સ્કોલર થયો.
કોઈ નેતા બન્યો, કોઈ અભિનેતા, 
બધાએ પદ, પ્રતિષ્ઠા, પાવર અને પૈસા પાછળ ડોટ મૂકી.
કોઈને સફળતા મળી, કોઈ રહી ગયું......પણ રેસ માં કોઈ થાક ખાવા તૈયાર નથી.
છેવટે સમગ્ર દુનિયા એ અનુભવ્યું કે બધું બરાબર, 
પણ માનવીય સદગુણો ખીલવવા માટે સમય નહીં આપ્યો હોય તો આ બધુજ નકામું.
વિશ્વ પર મહારોગ નું મહા સંકટ આવ્યું...
શું કામ લાગ્યું?
પદ કે લાગવગ?
પ્રતિષ્ઠા કે પહોંચ?
પાવર કે શક્તિ?
પૈસા કે રૂપિયા?
કાંઈ નહીં.
છગન પૂછે તો શું ગીતા કામ લાગી?
હા. ગીતા જ કામ લાગી. ગીતા નો સરળ પથ .

શું કામ લાગ્યું?
ગીતા નો સંયમ :: કુરમોંગાનીવ સર્વશઃ 
ગીતા નો યોગ :: તસ્માત યોગી ભવારરજુન
ગીતા નો ભોગ :: સાત્વિકમ, રાજસી, તામસીમ ચૈવ 

મન ની મક્કમતા ક્યાંથી લાવશો? 
સંયમ, શાંતિ, સ્થિરતા નું તત્વજ્ઞાન ક્યાંથી શીખશો?
એ ભાઈ, દાદા ના સ્વાધ્યાય માં આવી જા, અહીંયા તને ગીતા નું સમગ્ર તત્વજ્ઞાન જાણવા અને માણવા મળશે.

હવે જગત ને જણાવવાની જરૂર નથી કે બધું મેળવ્યું પણ ગીતા ના પથ પર ના ચાલ્યા તો કશુંજ કામ લાગવાનું નથી.
ગીતા સફળતા અને નિષ્ફ્ળતા પચાવાનું તત્વજ્ઞાન શીખવે છે.
સાંપ્રત સમાજ ને ઉદાહરણો આપવાની જરૂર નથી...

ભેગું કરવા વાળા ઘર ભેગા થઈ ગયા
સીધું કરવા વાળા બધા સીધા દોર થઈ ગયા
મોટા થવા વાળા બધા માટી માં ભળી ગયા
યોગા કરવા વાળા યોગભ્રષ્ટ થઈ દુનિયા તરી ગયા.

અમારી ગીતા માં યોગા અને ભોગા નો સમન્વય છે.
द्वंद्वातित થવાનો માર્ગ છે.
ગીતા ના આ જ્ઞાન ને વ્યવહારું બનાવી દીધો દાદા એ.
સરળ સમજૂતી, પ્રયોગો ની અનુભૂતિ, પરમેશ્વર ની પ્રસ્તુતિ અને પરિવાર ની પ્રતિકૃતિ આપી સદ્ગુણો ના સૂરો રેલાવી દીધા.

કોણ ટકયું કોણ બચ્ચું તે હવે બચ્ચા બચ્ચાઓ ખબર છે.

જીવન હવે ફક્ત એક છેડે બેટીંગ કરવાનો કીમિયો રહ્યો નથી.
બીજા છેડા સાથે કદમ મિલાવવા ગીતા સ્વાધ્યાય છે.
નક્કી કરો કે 
શેક્સપિયર ના હેલ્મેટ બની શોક કરવો છે કે પછી કૃષ્ણ ના અર્જુન બની આનંદી બનવું છે.
સમય નથી તો કાઢો નહીંતો જિંદગી काढा પીને ગુજારવી પડશે. 

સાંપ્રત સમાજ ને સમય સાથે સમન્વય સાધવા પથ સ્વાધ્યાય પરિવાર માં મળશે.
સ્વાધ્યાયી કહેશે...
જો તું નિર્દોષ બાળક છે તો તું અમારા બાળ સંસ્કાર કેન્દ્ર માં આવી સુંદર શ્લોકો શીખ,
જો તું તરુણ છે, તો અમારા કિશોર કેન્દ્ર માં સમય આપ, તાલ બદ્ધ થા,
યુવાન છે તો યુવા કેન્દ્ર માં આવી  સારા સાથે શ્રેષ્ઠત્ત્વ નો સમન્વય શીખ,
જો તું પ્રબુદ્ધ છે, તો અમારા વિડિઓ કેન્દ્ર માં આવ, પ્રયોગો માં જ, 
ગામડાઓ માં ભ્રમણ કર, તને જીવન માં પ્રવૃત્તિ અને નિવૃત્તિ નું તત્વજ્ઞાન 
ચરિતાર્થ થતું લાગશે. 
રૂપિયા ની રમત માં તું જિંદગી જીવવાની રમત ને રમી રાજા બની જઈશ.


इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ।
ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात्‌ ॥
राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम्‌ ।
प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम्‌ ॥

જણાવી દીધી આજે રાજ વિદ્યા, ચલાવું કે ચલક ચલાણું સૌની મરજી,
સાંપ્રત સમાજ ને પથ આપે ગીતા, ચાલવું ન ચાલવું સૌની મરજી...



ગીતા સમર્થ વિચાર.

સમર્થ નો જો સંગ મળે તો રંગ જીવનનો બદલી જાય
વિચાર એમાં ખરો ભળે તો સુવાસ એવી પ્રસરી જાય.
ગીતા નો વિચાર સમર્થ છે, એવું જો એ જાણી જાય
સમર્થ ગીતા ના વિચાર વાવી ગામે ગામ એ ગજવી જાય. 

સામર્થ્યવાન બનવાની આ દોડ માં સમર્થ થવું જરૂરી છે. આ સમર્થ નામના સ્ટેશને, હેમ ખેમ અને મોજ મસ્તી કરતાં કરતાં પહોંચવા માટે ગીતા ના સમર્થ વિચારો રૂપી સુપર ફાસ્ટ રાજધાની એક્સપ્રેસ માં બુકિંગ કરાવવું જરૂરી છે.

મુંબઈ ની માધવબાગ પાઠશાળા માં આ ગીતાંદીદી એક્સપ્રેસ નું ગંતવ્ય સ્થાન છે. 
પણ જો જો હોં! 
સમય સર બુકિંગ કરાવીને આ ટ્રેન પકડવી પડશે. તો બુકિંગ ક્યાં થશે? 
બાળપણ માં બાળ સંસ્કાર કેન્દ્રમાં 
યુવાની માં યુવા કેન્દ્ર માં, વિડીયો કેન્દ્ર માં... 
આ ટ્રેન માં બુકિંગ થશે. 
જો આ ટ્રેન માં ટુ ટાયર માં બેસવું હશે તો તારા માટે એક ગામડું ખોળવું પડશે. ગામ ના લોકો ના ખોળે ખંખેરાય જવું પડશે...... 
ગીતાંદીદી એક્સપ્રેસ માં મન અને તન ની ભૂખ ભાંગવા સ્વાદિષ્ટ રસોઈ તૈયાર છે. પણ તમે તે ત્યારે મંગાવી શકશો જ્યારે ગામ માં કોઈ એક પ્રયોગ નું subscription ભરી તેની એપ તમારા મગજ માં ઇન્સ્ટોલ કરી હશે. 
જો ગીતા ના વિચારો રૂપી આ ટ્રેન તમને સામર્થ્યવાન સમર્થ સ્ટેશન સુધી પહોંચાડવાની ખાતરી આપે છે તો તેના બુકિંગ ના આ નિયમો જાણી લઈ તેના પર કામ કરવા લાવવું પડશે....

જગત ના આ રેલ્વે પ્લેટફોર્મ પર અલગ અલગ પ્રકારની અલગ અલગ જગ્યાએ લઈ જતી ટ્રેન મળશે. જો બરાબર જ્ઞાન લીધું હશે તોજ મુસાફરી સફળ રહેશે. જ્ઞાન ની દુકાનો તો ઘણી મળશે પણ ગીતા જ્ઞાન सबसे महान જેને ખબર પડી તેને કહેવાની જરૂર નઈ પડે.


જગત ના આ જંગલ માં પાંચ પાંચ હજાર વર્ષ થી સર્વ શક્તિમાન શ્રી કૃષ્ણ એ ગીતા રૂપી તત્ત્વજ્ઞાન જગત ને આપ્યું. તેનું આચારણ કરીને પુષ્ટ થયેલો અને પછી સાંપ્રત સમયમાં વીસરી ગયેલો માનવ સમાજ માટે ને ફરી આજ થી સો વર્ષ પહેલાં पांडुरंग એ જન્મ લીધો....
જીવનકાર્ય એમનું શરુ થયું મુંબઈ ની માધવબાગ માં શ્રીમદ ભગવદ ગીતા પાઠશાળા માં. ગીતા ના વિચારો લઈ ગી ગીતાંદીદી એક્સપ્રેસ ને લીલી ઝંડી આપી....
આ ટ્રેન અસિતિ ની સીટી વગાડતી સડસડાટ પાણી પર દોડતી જાય. એમાં ગીતાંદીદી ની ભૂમિકા સમજવા માટે અંદર બેસવું પડે. 
અમારી આ ગીતાંદીદી એક્સપ્રેસ તો અનોખી છે. એ પાણી માં પણ મત્સ્યગંધા ના પુલ પર દોડે તો જંગલો માં દરેક વૃક્ષ માં વાસુદેવ બતાવી રસ્તો બનાવે. આ ટ્રેન ના ટ્રેક માટે વૃક્ષો કાપવાની નહીં પણ વાવવાની જરૂર પડે.

આ સુપર ફાસ્ટ ટ્રેન માં બેઠા હોય પછી લાચારી દીનતા કટુતા દ્વેષ ઈર્ષ્યા જેવા નાના નાના સ્ટેશનો પર ગાડી ઊભી ના રહે. 
આ ટ્રેન ડિવાઇન લેવીટેશન ની લેટેસ્ટ ટેક્નોલોજી પર કાર્યરત છે. ટ્રેન નો ટ્રેક દાદાજી એ સ્વયં પરિવાર ના પ્રયોગો થી મજબૂત બનાવ્યો છે. 
તન અને મન ને દુરસ્ત રાખવા માટે આવા ગીતાંદીદી ના रस्याः स्निग्धाः स्थिरा हृद्या  યુક્ત ખોરાક લેવો પડે. આ ટ્રેન માં બેસો એટલે ત્રિકાળ સંધ્યા ની થ્રી કોર્સ લંચ મળે, પંચ સૂત્રી ની ફાઇવ કોર્સ ડિનર મળે. જીવન ની આખી મુસાફરી તંદુરસ્ત બની રહે.

આ ટ્રેન માં એકલા નઇ બેસવાનું. આખા કુટુંબ ને લઈને આવવાનું. દાદા, દાદી, પિતા, પુત્ર, માતા, દીકરી બધાજ. ભાવ ગીતો ની અંતાક્ષરી રમતાં રમતાં ક્યારે જીવન નું સ્ટેશન આવી જશે ખબર નઇ પડે. આ ટ્રેન માં કોઈ જનરેશન ગેપ નઇ નડે. કારણ બધા ગીતા ના ડિવાઇન લેવીટેશન થી પરિપક્વ થયેલા છે. જ્યાં નાના ને સન્માન અને મોટા ને માન સહજ સ્વભાવ બની રહે છે। 
देवान्भावयतानेन ते देवा भावयन्तु वः ।
परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ ॥ (११) .3

આ ટ્રેન ના રુટ માં જોરદાર માણવા લાયક સ્ટેશનો આવે, ગીતાંદીદી એક્સપ્રેસ ના “સ્વકર્માણા  તમભય ચ” . ના વિચારો ની સીટ પર બેઠા પછી આ બધા સ્ટેશનો પર ફરવા મળે.
यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम्‌।
स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः॥46॥18.


વૃક્ષ મંદિર નું સ્ટેશન, 
યોગેશ્વર કૃષિ નું સ્ટેશન, 
અમૃતાલયમ નું સ્ટેશન, 
મત્સ્યગંધા નું સ્ટેશન, 
ઘર મંદિર નું સ્ટેશન, 
શ્રી દર્શનમ નું સ્ટેશન, 
પતંજલિ નું સ્ટેશન... 
स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः।
स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु॥45॥18.


આ ટ્રેન માં માછલી પકડતા પકડતા બેસી જવાય, કોઈ ઘાસ કાપતા કાપતા બેસી જાય, કોઈ વળી દર્દી ના દુખ દૂર કરતા કરતા ભાવ વિભોર બને તો કોઈ નાટક કરતા કરતા ગીતા રસ માં ભીંજાય જાય. 

આ ટ્રેન માં પરિવાર ભાવના unfit ને ફિટ બનાવે, ડાર્વિન ને જવાબ મળે,

આ ટ્રેન ના ડબ્બા માં માં ઇગો જતો રહે, સિગમંડ ફરોઇડ ને જવાબ મળે,
समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः ।
शीतोष्णसुखदुःखेषु समः सङ्‍गविवर्जितः ॥ (१८)

આ ટ્રેન માં બેસો એટલે રુસેલ ની માલિકી ની ભાવના જતી રહે અને અપૌરુષેય લક્ષ્મી નું નિર્માણ થાય, કારણ ટ્રેન ની માલિકી આપણી નથી.. 
अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः ।
सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः ॥ (१६)

આ ટ્રેન માં બેસેલા બધા ને સરખો પ્રતિભાવ મળે, કાર્લ માર્ક્સ ની હેવ અને હેવ નોટ ની ચેન પુંલિંગ માંથી છુટકારો મળી જાય. અને ટ્રેન સડસડાટ આગળ વધતી રહે. 

H g Wells કહે એવી કોઈ એક  ટ્રેન હોઈ ના શકે જે તમને જીવન ના બધા સ્ટેશનો પર પર સુખરૂપ પહોંચાડે. તમારે અલગ અલગ ટ્રેન માં બેસવું પડે.  જીવન માં આવતા કૌટુંબિક, આર્થિક, ધાર્મિક પડાવ પર સફળ બનવા માટે અલગ અલગ ટ્રેન માં બેસવું પડે. એ આવું બોલી શકે કારણકે એમણે ગીતા દીદી એક્સપ્રેસ માં મુસાફરી કરી નથી. 

અરે નિટશે જેવા એંજીનિયર તો કહે છે કે ટ્રેન ચલાવવા માટે પાવર જોઈએ. પાવર વગર એ ના દોડે. એમને કહો કે આ સ્વાધ્યાય ના સ્ટેશન પર આવો, અને જુઓ ડિવાઇન ભક્તિ ના લેવિટેસન ની તાકાત થી કેવી ટ્રેન ઊડે છે અને છતાં ગીતા ના વિચારો રૂપી પાટા થી દૂર થતી નથી. 

સંગ પ્રભુ નો સમજાવે ગીતા, સમર્થ નો હાથ ગીતા, માનવતા ની આશા ગીતા,
ગીતા નું છે એકજ ગાન, આત્મ ગૌરવ પર સન્માન,
સમર્થ ગીતા ની સંગે, વિચાર મળે જીવન જંગે.....

નીચે લિંક પર ગીતા ના 18 અધ્યાય હિન્દી માં અનુવાદ સાથે મળશે...